ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Tuesday, 29 September 2015

ફળવૃક્ષોમાં ખાતર યોગ્ય સ્થાને આપો અને મેળવો વધુ ઉપજ


ફળવૃક્ષમૂળનું સક્રિય ક્ષેત્ર અને ખાતર આપવાનું યોગ્ય સ્થાનખાતર આપવાનો સમય
જામફળમૂળનું સક્રિય ક્ષેત્ર થડથી 30 સેમી અંતરે અને 30 સે 60 સેમી ઊંડાઈએ હોય છે માટે થડથી 30 સેમી અંતરે ખાતર આપવું.પ્રથમ ત્રણ વર્ષ સુધી ખાતર ચોમાસા પહેલા અને પછી આપવું. ત્યારબાદ જૂન અને સપ્ટેમ્બર માસમાં ખાતર આપવું.
આંબોમોટાભાગના સક્રિય મૂળ થડથી 300 સેમીના વિસ્તારમાં હોય છે માટે થડથી એક મીટરના અંતરે અને ઝાડના ઘેરાવાની અંદર ખાતર આપવું.જૂન અને ફેબ્રુઆરી માસમાં ખાતરો આપવો.
લીંબુ વર્ગના ફળોમોટાભાગના સક્રિય મૂળ થડથી 120 સેમી ગોળાઈમાં તથા 15 થી 30 સેમી ઊંડાઈએ હોય છે માટે થડથી 30 થી 45 સેમી અંતરે ખાતર આપવું.ચોમાસુ પૂર્ણ થયા બાદ અને માર્ચ એપ્રિલમાં ખાતરો આપવો.
બોરમૂળનો સક્રિય વિસ્તાર 50 થી 75 સેમી ઊંડાઈએ હોય છે. માટે ઝાડના ઘેરાવાની અંદર રિંગ બનાવી ખાતર આપવું.જૂન-જુલાઇ અને સપ્ટેમ્બર માસમાં ખાતરો આપવા.
ચીકુમૂળનું સક્રિય ક્ષેત્ર 0 થી 30 સેમી ઊંડાઈએ હોય છે માટે ઝાડના ઘેરાવાની અંદર અને 15 સેમી ઊંડાઈએ ખાતર આપવું.જૂન અને ઓક્ટોમ્બર માસમાં
ખાતર આપવા માટે ઝાડના ઘેરાવાને આધારે રિંગ બનાવી તેના ખાતર આપવું. આ રીત અન્ય રીતો કરતાં વધુ અસરકારક છે. ખાતર મૂળના સક્રિય વિસ્તારને ધ્યાનમાં રાખી એ વિસ્તારમાં જ જવું જોઈએ.

No comments:

Post a Comment